ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.
નવસારીની ઉત્તરે અમરશાંતિ નદિને કિનારે એક ટાવર આવેલું છે. જે નુસેરવાનજી રતનજી ટાટાએ તેમની માતા કેવલાબાઈ ની યાદ બાંધવામાં આવ્યું હતું જે 1877-78 સુધીનુ સૌથી ઊંચું ટાવર હતુ. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને ઉદ્યોગપતિઓના નેતા, શેઠ જમશેતજી નુસરવાનજી ટાટા આ શહેરમાં જન્મ્યા હતા. દસ્તૂરવાડી વિસ્તારમા આવેલુ એ ઘરકે જ્યા તેનો જન્મ થયો હતો તે આજે પણ તેની વાસ્તવિક સ્થિતિમાં જાળવવામાં આવ્યુ છે. દાદાભાઈ નવરોજી, જેમણે પ્રથમ વાર પુર્ણ સ્વરાજની માંગણી કરી હતી તે અહિ જન્મ્યા હતા. તેમના જન્મનું ઘર આજે પણ દસ્તુરવાડમાં છે.
જમશેદજી જીજાબઈ અને મહારાષ્ટ્રના પ્રખ્યાત ડ્રામા નિષ્ણાત બાલ ગણેશ ગડકરીનો જન્મ નવસારીમાં થયો હતો. શહેરના દક્ષિણી વિસ્તારમાં "દુધિયા" તળાવ, તેના પશ્ચિમમાં "રામ તટારી" છે, ત્યાં બગીચાઓ વચ્ચે આશાપુરી માતાનું મંદિર આવેલુ છે. તથા "જ્યુબિલી" બગીચો અને "મફતલાલ" પાર્ક પન આવેલુ છે. દાંડી સત્યાગ્રહ દરમિયાન (ઇ.સ.1930) માનનીય, મહાત્મા ગાંધીજીએ અહિ રાત્રી રોકાણ કર્યૂ હતુ. તથા જે માર્ગથી તે પસાર થયા હતા તેને "મહાત્મા ગાંધી રોડ" તરીકે ઓળખવામાં આવે છે.
નવસારી શહેર હીરા ઉદ્યોગનું મુખ્ય શહેર છે અહીં નાની-મોટી 1200 કંપનીઓ કામ કરી રહી છે. શહેરમાં 2 કાપડ મિલો, ચોખાની મિલો, સો મિલ અને મેટલ જેવી જ ઈંટ અને પાઇપ બનાવવા ફેક્ટરીઓ આવેલ છે. ઔદ્યોગિક વિસ્તારમાં નાના-મોટા કેમિકલ કારખાનાઓ છે. અહીં બેન્ક ઓફ બરોડા,ભારતીય સ્ટેટ બેન્ક, ઇન્ડિયા ઓવર સીસ બેન્ક,સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક,પીપલ કો-ઓપરેટિવ બેંક, સાઉથ ગુજરાત બેંક,લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક, એગ્રીકલ્ચરલ પ્રોડકશન માર્કેટ જેવી કમિટીઓ કામ કરી રહી છે. જિલ્લા સામાન્ય રૂપરેખા આવી છે.
Courtesy: નવસારી જિલ્લા કલેકટર કચેરી
Comments
Post a Comment