Skip to main content

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

History of Navsari

 ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.

નવસારીની ઉત્તરે અમરશાંતિ નદિને કિનારે એક ટાવર આવેલું છે. જે નુસેરવાનજી રતનજી ટાટાએ તેમની માતા કેવલાબાઈ ની યાદ બાંધવામાં આવ્યું હતું જે 1877-78 સુધીનુ સૌથી ઊંચું ટાવર હતુ. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને ઉદ્યોગપતિઓના નેતા, શેઠ જમશેતજી નુસરવાનજી ટાટા આ શહેરમાં જન્મ્યા હતા. દસ્તૂરવાડી વિસ્તારમા આવેલુ એ ઘરકે જ્યા તેનો જન્મ થયો હતો તે આજે પણ તેની વાસ્તવિક સ્થિતિમાં જાળવવામાં આવ્યુ છે. દાદાભાઈ નવરોજી, જેમણે પ્રથમ વાર પુર્ણ સ્વરાજની માંગણી કરી હતી તે અહિ જન્મ્યા હતા. તેમના જન્મનું ઘર આજે પણ દસ્તુરવાડમાં છે.

જમશેદજી જીજાબઈ અને મહારાષ્ટ્રના પ્રખ્યાત ડ્રામા નિષ્ણાત બાલ ગણેશ ગડકરીનો જન્મ નવસારીમાં થયો હતો. શહેરના દક્ષિણી વિસ્તારમાં "દુધિયા" તળાવ, તેના પશ્ચિમમાં "રામ તટારી" છે, ત્યાં બગીચાઓ વચ્ચે આશાપુરી માતાનું મંદિર આવેલુ છે. તથા "જ્યુબિલી" બગીચો અને "મફતલાલ" પાર્ક પન આવેલુ છે. દાંડી સત્યાગ્રહ દરમિયાન (ઇ.સ.1930) માનનીય, મહાત્મા ગાંધીજીએ અહિ રાત્રી રોકાણ કર્યૂ હતુ. તથા જે માર્ગથી તે પસાર થયા હતા તેને "મહાત્મા ગાંધી રોડ" તરીકે ઓળખવામાં આવે છે.

નવસારી શહેર હીરા ઉદ્યોગનું મુખ્ય શહેર છે અહીં નાની-મોટી 1200 કંપનીઓ કામ કરી રહી છે. શહેરમાં 2 કાપડ મિલો, ચોખાની મિલો, સો મિલ અને મેટલ જેવી જ ઈંટ અને પાઇપ બનાવવા ફેક્ટરીઓ આવેલ છે. ઔદ્યોગિક વિસ્તારમાં નાના-મોટા કેમિકલ કારખાનાઓ છે. અહીં બેન્ક ઓફ બરોડા,ભારતીય સ્ટેટ બેન્ક, ઇન્ડિયા ઓવર સીસ બેન્ક,સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક,પીપલ કો-ઓપરેટિવ બેંક, સાઉથ ગુજરાત બેંક,લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક, એગ્રીકલ્ચરલ પ્રોડકશન માર્કેટ જેવી કમિટીઓ કામ કરી રહી છે. જિલ્લા સામાન્ય રૂપરેખા આવી છે.

Courtesy: નવસારી જિલ્લા કલેકટર કચેરી 

Comments

Popular posts from this blog

Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

    Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

Special Navsari election awareness news

 Special Navsari election awareness news નવસારી જિલ્લા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગેનાં સમાચાર 

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

 Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને ર