Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.
Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવા પર 20 % ડિસ્કાઉન્ટ મેળવો.
Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવા પર 20 % ડિસ્કાઉન્ટ મેળવો.
યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારી દ્વારા તા. 07/05/2024, મંગળવારનાં દિને ચૂંટણી મહાપર્વમાં મતદાન કરી આવનાર ઓપીડી દર્દીને યશફીન હોસ્પિટલ સંચાલિત યશફીન મેડીકલની દવા પર 20% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.Post courtesy: tweeter
Comments
Post a Comment