માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓ અવસાન પામનાર પરિવારને 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.
ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓ અવસાન પામનાર પરિવારને 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.
તારીખ:૧૭-૦૭-૨૦૨૪નાં દિને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારોએ ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના અવસાન પામનાર વ્યક્તિઓનાં નિવાસ સ્થાને જઈ પરિવારજનોનાં દુઃખમાં સહભાગી બની સાંત્વના પાઠવી હતી. તેમજ તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ સ્વરૂપે સરકારશ્રીની યોજનામાંથી કુલ ₹8 લાખની સહાય મંજૂર કરાવીને પરિવારજનો પાસે તેમના નિવાસસ્થાને જઈ ચેક અર્પણ કર્યા. દુ:ખના આ સમયમાં પ્રભુ સમક્ષ પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ માટે તથા મૃતકોના આત્માને શાંતિ અને મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓનું દુ:ખદ અવસાન થયું હતું. આ ઘટના અતિશય દુ:ખદ છે....
Posted by Naresh Patel on Wednesday, July 17, 2024
Comments
Post a Comment