Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.
ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓ અવસાન પામનાર પરિવારને 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.
ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓ અવસાન પામનાર પરિવારને 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.
તારીખ:૧૭-૦૭-૨૦૨૪નાં દિને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારોએ ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના અવસાન પામનાર વ્યક્તિઓનાં નિવાસ સ્થાને જઈ પરિવારજનોનાં દુઃખમાં સહભાગી બની સાંત્વના પાઠવી હતી. તેમજ તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ સ્વરૂપે સરકારશ્રીની યોજનામાંથી કુલ ₹8 લાખની સહાય મંજૂર કરાવીને પરિવારજનો પાસે તેમના નિવાસસ્થાને જઈ ચેક અર્પણ કર્યા. દુ:ખના આ સમયમાં પ્રભુ સમક્ષ પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ માટે તથા મૃતકોના આત્માને શાંતિ અને મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓનું દુ:ખદ અવસાન થયું હતું. આ ઘટના અતિશય દુ:ખદ છે....
Posted by Naresh Patel on Wednesday, July 17, 2024
Comments
Post a Comment