Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

નવસારી શહેરમાં મહોરમ (તાજીયા) તહેવારને અનુલક્ષીને કાયદો- વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું :

  નવસારી શહેરમાં મહોરમ (તાજીયા) તહેવારને અનુલક્ષીને કાયદો- વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું :

નવસારીઃ મંગળવારઃ આગામી તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ (મહોરમ) કતલની રાત તથા તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મહોરમ તાજીયાનો તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન મુસ્લિમ ભાઇઓ તરફથી બંને દિવસો સહિત નવસારી શહેરમાં જુલુસ કાઢવામાં આવનાર છે. આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ એક જાહેરનામાં દ્વારા જાહેર જનતાના હિત માટે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

જાહેરનામાં મુજબ નવસારી શહેર વિસ્તારમાં તાજીયા શહાદતના દિવસે પ્રજાપતિ આશ્રમથી ડેપો, ચારપુલ ચોકી થી પાંચ હાટડી અને ઇન્દિરાજીની પ્રતિમા જુનાથાણા થી પાંચ હાટડી, મોટા બજાર, ટાવર પોલીસ સ્ટેશન થઇ ખાટકીવાડ સુધીનો માર્ગ તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ રાત્રે ૨૦-૦૦ કલાક થી તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મળસ્કે ૧-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તેમજ નવસારી શહેર વિસ્તારમાં તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ તાજીયા વિસર્જન દિવસે પ્રજાપતિ આશ્રમથી ડેપો, ચારપુલ ચોકી થી પાંચ હાટડી અને જુનાથાણા સર્કલથી પાંચ હાટડી મોટા બજાર ટાવર પોલીસ સ્ટેશન ખાટકીવાડ થઇ પારસી અગિયારી સુધીનો માર્ગ બપોરે ૧૪-૦૦ કલાકથી ૨૪-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. 

આ પ્રતિબંધિત સમય દરમિયાન લુન્સીકુઇ થી સ્ટેશન જતા-આવતા વાહન ચાલકો, દૂધિયા તળાવ, આશાનગર, સાંઢકૂવા થઇ સ્ટેશન અથવા લુન્સીકુઇ થી દરગાહ રોડ, માર્કેટ, ગોલવાડ, ફુવારા થઇ સ્ટેશન જતા માર્ગનો ઉપયોગ કરી શકશે. પ્રતિબંધિત માર્ગ પાસેના રહેણાંક વિસ્તારમાં વાહન ચાલકો આજુબાજુ તથા ગલી-શેરીઓનો ઉપયોગ કરી શકશે. સુરત જતા-આવતા વાહનો વિરાવળ નાકા, ઝવેરી સડક રોડ, જુનાથાણા, કાલિયાવાડી નાકા દશેરા ટેકરી, લુન્સીકુઇ થઇ શહેરમાં પ્રવેશી શકશે. 

આ હુકમનો અનાદર કે ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.


નવસારી શહેરમાં મહોરમ (તાજીયા) તહેવારને અનુલક્ષીને કાયદો- વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા...

Posted by Info Navsari GoG on Tuesday, July 16, 2024

Comments

Popular posts from this blog

નવસારીનાં જોવાલાયક સ્થળો:

 આશાપુરી માતા મંદિર નવસારી – આશાપુરી માતાનું મંદિર નવસારી જિલ્લાનું સૌથી મોટું મંદિર છે. તે નવસારી જિલ્લાનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ એક ધાર્મિક સ્થળ છે. આ મંદિર આશાપુરી માતાને સમર્પિત છે. આ મંદિર ખૂબ મોટું અને ખૂબ જ સુંદર છે. મંદિરની અંદર આપણે મા આશાપુરીના દર્શન માટે મુખ્ય ગર્ભગૃહમાં મળીએ છીએ. આ મંદિરમાં આવ્યા પછી તમને ખૂબ સારું લાગશે. માતા આશાપુરી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીં અનેક ભક્તો માતાના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં તમને અન્ય અનેક દેવી-દેવતાઓના દર્શન થાય છે. વડતાલધામ નવસારી – વડતાલધામ નવસારીનું મુખ્ય મંદિર છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. મંદિરની અંદર તમે ભગવાન સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ જીના દર્શન કરી શકો છો. આ મંદિર ખૂબ જ સુંદર છે. આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું ટોચનું શિખર સંપૂર્ણપણે સોનેરી રંગનું છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. અહીં આવવું ખૂબ સરસ છે. વ્યક્તિને શાંતિ મળે છે. આ મંદિર મુખ્ય નવસારી જિલ્લામાં આવેલું છે. તમે અહીં આવીને ફરવા જઈ શકો છો. દાંડી બીચ નવસારી – દાંડી બીચ નવસારીનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ બીચ નવસારીના દાંડી...

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત મારા સ્મૃતિપટ પર ગઇકાલ સાંજની પળો હજીપણ છવાયેલી છે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું સ્વાગત, સૌનો સ્નેહ મારા જીવનની યાદગાર પળોમાં એક બની રહેશે. આ પળની એક ઝલક…. pic.twitter.com/kKeJrlnijL — C R Paatil (@CRPaatil) June 14, 2024

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ...